સંજય રાઉતે ઈન્દિરા ગાંધી વિશે કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, કોંગ્રેસ થશે કાળઝાળ!

શિવસેના (Shivsena) ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે (Sanjay Raut)  બુધવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ને લઈને મોટો  ખુલાસો કર્યો છે.

સંજય રાઉતે ઈન્દિરા ગાંધી વિશે કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, કોંગ્રેસ થશે કાળઝાળ!

પુણે: શિવસેના (Shivsena) ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે (Sanjay Raut)  બુધવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ને લઈને મોટો  ખુલાસો કર્યો છે. પોતાના એક નિવેદનમાં તેમણે દાવો કર્યો છે કે ઈન્દિરા ગાંધી અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા (Karim Lala) ને મળવા માટે મુંબઈ આવતા હતાં. રાઉતે મુંબઈમાં અંડરવર્લ્ડના સમય અંગેની વાત કરતા કહ્યું કે "એક સમય હતો જ્યારે દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ અને શરદ શેટ્ટી એ નક્કી કરતા હતાં કે મુંબઈમાં પોલીસ કમિશનર કોણ હશે અને સરકારના કયા મંત્રાલયમાં કોણ બેસશે? અમે અંડરવર્લ્ડનો એ સમય જોયો છે, પરંતુ હવે તેઓ અહીં ફક્ત ચિલ્લર છે." રાઉતે મુંબઈના તે સમયને યાદ કરતા કહ્યું કે "જ્યારે હાજી મસ્તાન મંત્રાલય આવતો હતો, ત્યારે મંત્રાલયના સમગ્ર કર્મચારીઓ તેને જોવા માટે નીચે આવતા હતાં."

sanjay raut

સંજય રાઉતે પુણેમાં એક પુરસ્કાર સમારોહ દરમિયાન એક મીડિયાના સમૂહને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ઈન્દિરા ગાંધી પાઈધોની (દક્ષિણ મુંબઈમાં) કરીમ લાલાને મળવા માટે આવતા હતાં. શિવસેના સાંસદ રાઉતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ગેંગસ્ટર એજાઝ લાકડાવાલાએ મુંબઈ પોલીસની પૂછપરછમાં ડી કંપની અંગે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ એજાઝ લાકડાવાલાએ જણાવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ હજુ પણ કરાચીમાં રહે છે. એજાઝ લાકડાવાલાએ પોલીસને દાઉદના કરાચીવાળા  ઘરનું એડ્રસ પણ આપ્યું છે. તેણે 6A, ખાયાબાન તંજીમ, ફેઝ-5, ડિફેન્સ હાઉસિંગ એરિયા, કરાચી અને D-13, બ્લોક-4, ક્લિફ્ટન, કરાંચી એમ પાકિસ્તાનના બે એડ્રસ આપ્યા છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

મુંબઈનો પહેલવહેલો માફિયા ડોન હતો કરીમ લાલા
હાજી મસ્તાનને ભલે મુંબઈ અંડરવર્લ્ડનો પહેલો ડોન કહેવામાં આવતો હતો પરંતુ સાચી રીતે જો કહીએ તો કરીમ લાલા જ મુંબઈનો પહેલો માફિયા ડોન હતો. કરીમ લાલાએ મુંબઈમાં 1960થી લઈને 1980 સુધી સમગ્ર મુંબઈમાં દારૂના અડ્ડા ચલાવ્યાં. દાણચોરી કરી. જ્યારે કરીમ લાલાનો મુંબઈમાં સિક્કો પડતો હતો ત્યારે હાજી મસ્તાન અને વરદારાજન મુદલિયાર પણ આ શહેરમાં સક્રિય હતાં. ત્રણેય લોકોએ મળીને વિસ્તારો વહેંચી લીધા હતાં જેથી કરીને લોહીયાળ જંગ ન થાય. 2002માં કરીમ લાલાનું મોત થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news